![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-F.jpg)
શું તમે જાણો છો, પાણીપુરીનું સેવન જડમૂળથી દૂર કરે છે આ બીમારીને
પાણીપુરીનું નામ સાંભળીને દરેકનાં મોઢામાં પાણી આવી જાય છે. પાણીપુરી બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો પણ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે.પાણીપુરીનું સેવન કેટલાંક રોગોને જડમૂળથી દૂર કરે છે. આજે અમે તમને જણાવીશું પાણીપુરી ખાવાના જબરદસ્ત ફાયદા વિશે, જેના વિશે કદાચ તમને પણ ખબર નહીં હોય. તો જાણો પાણીપુરી ખાવાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા.
ક્યારે અને કેટલી ખાવી પાણીપુરી
![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-1.jpg)
પાણીપુરીનું સેવન બપોરે અથવા સાંજે સૌથી વધુ ફાયદાકારક હોય છે. આ સમય દરમિયાન 5-7 પાણીપુરીનું સેવન પાચન ક્રિયાને સક્રિય રાખે છે. તે સિવાય ભોજન કરવાના સમયે 10-15 મીનિટ પહેલાં પણ તેનું સેવન કરવાથી તમને બહુ ફાયદા થાય છે. તે સિવાય જો વર્કઆઉટ કરતા હોવ તો તે પહેલાં અથવા પછી તેનું સેવન ક્યારે ન કરવું.
1.મોઢામાં ચાંદા
![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-2.jpg)
કેટલીક વખત તીખુ અથવા ગરમ ખાવાના કારણે મોઢામાં મોટા-મોટા ચાંદા પડી જાય છે, જેને દૂર કરવા માટે બહુ સમય લાગે છે. તેવામાં માત્ર પાણીપુરીનું સેવન કરવું. તમારા મોઢાનાં ચાંદા બીજા દિવસે ગાયબ થઈ જશે.
2.પેટ સાથે જોડાયેલી સમસ્યાને કરે છે દૂર
![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-3.jpg)
અનહેલ્ધી ખાવાના કારણે આજકાલ લોકોમાં પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યા થાય છે. તેવામાં તમે પાણીપુરીનાં પાણીનું સેવન કરવું. તેમાં રહેલાં પુદીના, કાળા મરી, જીરું, સંચળ હોય છે જે પેટમાં થતા ગેસ, એસિડિટી, કબજિયાત જેની બીમારીઓને જડમૂળથી દૂર કરે છે.
3.ચીડિયાપણું
![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-4.jpg)
ઉનાળાની સીઝનમાં હંમેશા લોકોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે જે પાણીપુરીનું પાણી આ સમસ્યાને પણ દૂર કરે છે. પાણીપુરી ખાવાથી તમારો મુડ ફ્રેશ થાય છે અને ચિડિયાપણું પણ દૂર થાય છે.
4.વજન ઓછું કરવા માટે
![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-5.jpg)
જો તમે તમારા વજનને લઈને પરેશાન છો તો પાણીપુરીનું સેવન તમારી આ સમસ્યાને હંમેશા દૂર કરશે. ભોજન કરવાના 10-15 મીનિટ પહેલાં દરરોજ તેનું સેવન કરવું. તેનાથી તમારું વજન ઝડપથી ઓછું થઈ જશે.
5.ગભરામણ થવી
![](https://amegujjugreat.com/wp-content/uploads/2019/07/23-7-2019-1-6.jpg)
બહું લાંબી યાત્રા અથવા તાવને કારણે ગભરામણ અથવા ઉલ્ટી જેવી સમસ્યા હોય તો 3-4 પાણીપુરી ખાવી. તેનાથી તમને તરત રાહત મળશે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર…