Home Jyotirling જાણો ચોથા જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર મંદિર વિશે

જાણો ચોથા જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર મંદિર વિશે

0
0
1,036

12 જ્યોતિર્લિંગોમાં ચોથું

ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). પણ દ્વાશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, મામલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર અવેલું છે.

કથા

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથી ત્રણ ઘણી પ્રચલિત છે.

પ્રથમ કથા

પ્રથમ કથા એ વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે નારદ મુનિ (બ્રહ્માજીના પુત્ર) કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવ એ લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો.

ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે. વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં. અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયાં જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે દ્વાદશ જ્યોતિર્લિગમાંનો એક છે.

બીજી કથા

એક અન્ય કથા રાજા મંધાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિઁગ સ્વરૂપે પ્રગટથવા મનાવ્યાં હતાં. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરિશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયાં હતાં. આને કારણે તે પર્વતનુઁ નામ મકંધાત પર્વત પડ્યું છે.

ત્રીજી કથા

એક અન્ય કથા અનુસાર એક સમયે દેવો અને દાનવો વચ્ચે બીષણ યુદ્ધ થયું હતું જેમાં દાનવોની વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમ જનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેમની આરાધના ના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યાં.

વિશેષ માન્યતા

ઓમકારેશ્વર નર્મદા ક્ષેત્રમાં શ્રેષ્ઠ મંદિર છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ યાત્રાળુ દેશના તમામ તીર્થધામો કરી શકે છે, પરંતુ જ્યાં સુધી તે તીર્થસ્થાનોનું પાણી ઓમકારેશ્વરમાં ન લાવે અને તેને અહીં પ્રદાન ન કરે ત્યાં સુધી તેના તમામ તીર્થસ્થાનો અધૂરા માનવામાં આવે છે. ઓમકારેશ્વર મંદિર સાથે નર્મદાજીનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્ર મુજબ, જમુનાજીમાં ૧૫ દિવસનું સ્નાન અને ગંગાજીમાં ૭ દિવસીય સ્નાન જે ફળ આપે છે તે નર્મદાજીના દર્શનથી જ પ્રાપ્ત થાય છે.

ઓમકારેશ્વર મંદિરના પૂજારી અનુસાર, એવું માનવામાં આવે છે કે ૧૨ જ્યોતિર્લિંગોમાં આ એક માત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવ સૂવા આવે છે. ભગવાન શિવ દરરોજ અહીં ત્રણ વિશ્વની મુલાકાત લઈને અહીં વિશ્રામ કર્યા છે. ભક્તો અને યાત્રાળુઓ ખાસ કરીને અહીં દર્શન માટે આવે છે. માતા પાર્વતી પણ અહીં ભોલેનાથ સાથે રહે છે અને દરરોજ રાત્રે અહીં ચોસર-પાસાઓ રમે છે. અહીં શયન આરતી પણ કરવામાં આવે છે, શયન આરતી બાદ જ્યોતિર્લિંગ સામે દરરોજ ચોસર-પાસાઓ સજાવવામાં આવે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ગર્ભ ગૃહમાં રાત્રિના સમયે કોઈ પણ પક્ષી પણ આવી શકતું નથી, પરંતુ જ્યારે તમે સવારે જુઓ ત્યારે, વિપરીત પાસાઓ હોય છે, આ એક મોટું રહસ્ય છે જેના વિશે કોઈને ખબર નથી. ઓમકારેશ્વર મંદિરમાં, ભગવાન શિવની ગુપ્ત આરતી કરવામાં આવે છે જ્યાં પુજારી સિવાય કોઈ પણ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે નહીં. પૂજારી ભગવાન શિવની વિશેષ પૂજા અને અભિષેક કરે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…