Home Jyotirling જાણો ત્રીજા જ્યોતિર્લીંગ મહાકાળેશ્વર મંદિર વિશે

જાણો ત્રીજા જ્યોતિર્લીંગ મહાકાળેશ્વર મંદિર વિશે

0
1
689

12 જ્યોતિર્લિંગોમાં ત્રીજું

હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં મધ્યપ્રદેશ ના ઉજજેનમાં આવેલું મહાકાળેશ્વર ત્રીજા ક્રમે છે. આખી દુનિયામાંથી શિવભક્તો અહિં ભવ્ય શિવલિંગના દર્શન કરવા આવે છે.

મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે.  પુરાણો,  મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જયિની નગરનું વર્ણન કરતી વેળા આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.

કથા

કાલના બે અર્થ છે – એક સમય અને બીજો મૃત્યુ. મહાકાલને ‘મહાકાલ’ કહેવામાં આવે છે કારણ કે પ્રાચીન સમયમાં સમગ્ર વિશ્વનો માનક સમય અહીંથી નક્કી કરવામાં આવ્યો હતો, તેથી જ આ જ્યોતિર્લિંગને ‘મહાકાળેશ્વર’ નામ આપવામાં આવ્યું છે. દંતકથા અનુસાર, આ શિવલિંગની સ્થાપના રાજા ચંદ્રસેન અને ગોપ-બાલકની દંતકથા સાથે સંકળાયેલ છે.

વિશેષ માન્યતા

  • દરરોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. આ આરતીમાં ભાગ લેવા અગાઉથી બુકિંગ કરવામાં આવે છે.
  • મહાકાલના દર્શન કર્યા પછી, જુના મહાકાલની મુલાકાત લેવી જરૂરી છે. કેટલાક લોકોના મતે, જ્યારે મુગલ કાળમાં આ શિવલિંગના વિનાશનો ભય વધ્યો હતો, ત્યારે પુજારીઓએ તેને છુપાવ્યું હતું અને તેને બદલીને બીજા શિવલિંગ મૂકીને તેની પૂજા શરૂ કરી હતી. બાદમાં તેમણે તે શિવલિંગને મહાકાલની જ જગ્યાએ સ્થાપિત કર્યું, જેને આજે ‘જુના મહાકાલ’ કહેવામાં આવે છે. જો કે, કેટલાકના મતે, આ મૂળ શિવલિંગને ધોવાણથી બચાવવા માટે કરવામાં આવ્યું હતું.
  • મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ હાલમાં ૩ ભાગોમાં વહેંચાયેલું છે. મહાકાળેશ્વર નીચલા ભાગમાં, મધ્યમ વિભાગમાં ઓમકારેશ્વર અને ઉપલા વિભાગમાં શ્રી નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે. નાગપંચમીના દિવસે વર્ષમાં એકવાર નાગચંદ્રેશ્વર શિવલિંગના દર્શન કરવાની મંજૂરી છે. મંદિર સંકુલમાં એક પ્રાચીન કુંડ છે
  • ઉજ્જૈનનો એક જ રાજા છે અને તે મહાકાલ બાબા છે. વિક્રમાદિત્યના શાસનથી કોઈ રાજા અહીં રાત્રિ રહી શકતો નથી. જેણે આ હિંમત કરી, તે સંકટોમાં ધેરાઈને મૃત્યુ પામતો. પૌરાણિક અને સિંહાસન બત્રીશી દંતકથા અનુસાર, રાજા ભોજાના સમયથી અહીં કોઈ રાજા રોકાતો નથી. આજે પણ કોઈ રાજા, મુખ્યમંત્રી અને વડા પ્રધાન વગેરે અહીં રાત્રે રોકાઈ શકતા નથી. શ્રાવણ માસમાં દર સોમવારે રાજા મહાકાલ શહેરની મુલાકાત લે છે.
  • મોરારજી દેસાઈ જયારે ઉજ્જેન દર્શન કર્યા પછી ત્યાજ રાત રોકાઈ ગયા અને તેના બીજાજ દિવસે તેની સરકાર ભાંગી ગઈ. વાય એસ યેદિયુરપ્પાએ ઉજ્જૈનમાં રાત રોકાયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે 20 દિવસની અંદર રાજીનામું આપવું પડ્યું. અને બીજા ઘણા દાખલા છે જ્યાં એક માત્ર રાજા ઉજ્જૈન સાથે રાત્રિ રહેવાની હિંમત કર્યા પછી રાજા રાજા બન્યો રહેતો નથી ….
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…