Home Jyotirling જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે

જાણો દશમાં જ્યોતિર્લીંગ નાગેશ્વર મંદિર વિશે

0
0
943

12 જ્યોતિર્લિંગોમાં દશમું

દ્વારકાની સીમમાં આવેલું નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર એ પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતતા આવતાં ત્રણ દેવસ્થાનો ભારતમાં છે: (૧) જગતેશ્વર , અલમોડા, ઉત્તરાખંડ (૨) નાગેશ્વર, દ્વારકા, ગુજરાત અને (૩) ઔંધ , મહારાષ્ટ્ર.

કથા

શિવ પુરાણ એ ભગવાન શંકરના ભક્તોનો પવિત્ર ગ્રંથ છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર એ દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવાકે કામ્યકવન,દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.

શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુક નામના રાક્ષસે દારુકવન શહેરમાં બંદી બનાવી રાખ્યા હતા. આ શહેર સર્પોનું શહેર હતું અને દારુક તેમનો રાજા હતો. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં. મરતાં પહેલાં તે રાક્ષસની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.

વિશેષ માન્યતા

  • શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના મહિમામાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અહીં મુલાકાત માટે પૂર્ણ નિષ્ઠા સાથે આવે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
  • અહીંની બીજી વિશેષતા એ છે કે અભિષેકમ માત્ર ગંગા જળ દ્વારા કરવામાં આવે છે, અને જે લોકો ભક્તોને પૂજા-અર્ચના કરે છે તેઓને મંદિર સમિતિમાંથી ગંગા જળ મુક્ત મળે છે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…