Home Religious જાણો વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસની વિગત

જાણો વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસની વિગત

0
0
656

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર અમદાવાદ પાસે આકાર પામનારા વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરીએ યોજાનારો છે. આ બે દિવસિય સમારોહમાં વિશ્વભરમાંથી મા ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહેશે. વિશ્વ ઉમિયાધામના આ સમારોહમાં સમગ્ર દેશભરના સાધુ- સંતો- મંહતો, ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં 51 હજારથી 51 કરોડ સુધીના સમાજશ્રેષ્ઠી દાતાઓના વરદ્હસ્તે જગત જનની મા ઉમિયાના 431 ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરનો શિલાન્યાસ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જગત જનની માં ઉમિયાના મંદિરની વિશેષતાઓ…

  • મંદિરની ઉંચાઈ 431 ફૂટ (131 મીટર) છે
  • વિશ્વનું સૌથી ઉંચુ જગત જનની મા ઉમિયાનું મંદિર બનશે
  • મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી બની છે
  • માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે
  • મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 270 ફૂટ (82 મીટર) ઉંચી હશે
  • મંદિરનો ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ડિઝાઈન મુજબ બનશે
  • ગર્ભગૃહમાં 52 ફૂટ ઉંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે
  • જગત જનની મા ઉમિયાની સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે

શિલાન્યાસ સમારોહની વિશેષતા…

  • બે દિવસમાં અંદાજિત 2 લાખ ભક્તો વિશ્વ ઉમિયાધામ જાસપુર પધારશે
  • સમગ્ર સમારોહના આયોજન માટે 50થી વધુ કમિટીઓ કામ કરશે
  • સમગ્ર કાર્યક્રમમાં 5000થી વધુ સ્વયં સેવકો સેવા આપશે

શિલાન્યાસ સમારોહનો કાર્યક્રમ…

28 ફેબ્રુઆરી 2020- શુક્રવાર

  • સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા
  • જગત જનની મા ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
  • બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે
  • સાંજે 4 કલાકે દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાશે

29 ફેબ્રુઆરી 2020- શનિવાર

  • સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાશ્રીઓના હસ્તે પૂજન
  • સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ
  • શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રી (BAPS સ્વામિનારાયણ સંસ્થા) અને પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે
  • શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
  • શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

Source : Vishv Umiya Foundation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…